શયન આરતી દરમિયાન પ્રવેશને લઈને ઘર્ષણ થયું હતું
લોગ વિચાર :
ઉજજૈનના પ્રસિધ્ધ જયોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં ભકતો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણની ઘટના બહાર આવી છે. ભગવાન મહાકાલની શયન આરતી દરમિયાન પ્રવેશ મામલે અને દ્વાર બંધ કરાતા આ મારામારી થઇ ગયાનું બહાર આવ્યું છે.
મળેલી માહિતી મુજબ શંખદ્વાર બંધ થયા બાદ ભકતો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે વિવાદ થયો હતો. આ બાદ કેટલાક શ્રધ્ધાળુઓ અને સ્ટાફ વચ્ચે મારપીટ થઇ ગઇ હતી.
મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ અંગે તપાસ કરાઇ હતી છે આ ઘટનાનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. બીજી તરફ બે દિવસથી ભકતો માટે ગરમીમાં 10 જમ્બો કુલર મુકવામાં આવ્યા છે. મંદિર દ્વારા કુલરનું દાન કરનારા શ્રધ્ધાળુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.