મોહન ભાગવત સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

લોગવિચાર :

ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે તેની વિસ્તરણની યોજનાને આગળ ધપાવી છે અને આજથી આરએસએસના સર કાર્યવાહ દત્તાત્રેય હોંશબોલે ત્રણ દિવસમાં જામનગરના પ્રવાસે છે અને તેઓ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક લઇ રહ્યા છે.

તે સમયે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત તા.18થી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ તા.17ના સાંજે સુરત પહોંચશે અને બે દિવસ રોકાશે.

તેઓ અહીં જૈન આચાર્ય મહારામાનુજજીને મળશે અને પર્યાવરણ અંગેના એક પરિસંવાદમાં પણ હાજરી આપશે આ ઉપરાંત સંઘની શ્રેણીબધ્ધ બેઠકો યોજાઇ રહી છે જેમાં તેઓ ભાગ લેશે.