લોગવિચાર :
કોરોના મહામારી બાદ હેલ્થ ઈુસ્યોરન્સ સેકટરમાં મજબુત ગ્રોથ જોવા મળ્યો છે પરંતુ હજુ દેશની કુલ વસ્તીના માત્ર 4.5 ટકા લોકો જ ઈુસ્યોરન્સ ધરાવે છે. કેન્દ્ર સરકારનાં વિઝન 2024 સુધીમાં દરેક લોકોને વીમા હેઠળ આવરી લેવા માટે ઈન્ડસ્ટ્રીઝમાં જાગૃતતાં આવ્યું છે.
મધ્યમ નાના શહેરોમાં શરૂ કરાયેલા પ્રોગ્રામનો લાભ સેકટરને મળી રહ્યો છે. પીબી પાર્ટનર્સનાં હેલ્થ ઈુસ્યોરન્સના નેશનલ સેલ્સ હેડ નીરજ અઘાનાએ જણાવ્યું કે, આગામી વર્ષ 2030 સુધીમાં દેશના 10 ટકા લોકો ઈુસ્યોરન્સ ઉદ્યોગ સાથે જોડાયેલા હશે.
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, અને વડોદરા જેવા ટાયર-2 અને ટાયર 3 શહેરો ગ્રાહકોમાં વીમા અંગે ઉંચી જાગૃતિની સાથે જાણકારી જોવા મળે છે. આને કારણે દેશનાં અન્ય રાજયો કરતાં ગુજરાતમાં ઉદ્યોગનો ગ્રોથ વધુ સારો જોવાયો છે. અમારા કામકાજમાં સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિમામાં વાર્ષિક 71 ટકા વૃધ્ધિ જોવાતા અમે એજન્ટ પાર્ટનર નેટવર્કનું સતત વિસ્તરણ કરી રહ્યા છીએ.
હાલ ગુજરાતમાં 3,500 થી વધુ એજન્ટ નેટવર્કનું માળખુ તો અમદાવાદ એકલામાં જ 1200 થી વધુ POPS એજન્ટ ભાગીદારોનું નેટવર્ક છે. જે ઉદ્યોગમાં સૌથી વધુ છે અને આગામી માર્ચ 2025 સુધીમાં તે 2,000 સુધી વિસ્તારવામાં આવશે.
વીમા ખરીદીમાં વિશ્વાસ સૌથી મહત્વનું પાસુ હોવાનો ભાર હાલમાં યોજાયેલા સેમીનારમાં મુકવામાં આવ્યો હતો.ખાસ કરીને ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં, જયાં વ્યકિતગત સેવા નિર્ણાયક છે. ત્યાં વિશ્વાસ વધુ જરૂરી છે.
આ ઉપરાંત દાવાની પતાવટ માટે સીમલેસ અને કાર્યક્ષમ પ્રક્રિયાની ખાતરી કરવી એ ટોચની પ્રાથમિકતા છે.આ ક્ષેત્ર પર ફોકસ સાથે દાવાઓની વાત આવે ત્યારે ગ્રાહકોને મુશ્કેલી મુકત અનુભવ પ્રદાન કરવી જરૂરી છે.
એમ જણાવીને તેઓએ ઉમેર્યું હતું. આ માટે એજન્ટની ભૂમિકા સૌથી મહત્વની છે.ટીમ નેટવર્ક હોસ્પીટલો અને વીમા કંપનીઓ વચ્ચેનાં ઝડપી સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરતા પરિણામે લગભગ 85 ટકા દાવાઓ સફળતાપૂર્વક પતાવટ કરવામાં આવ્યા છે.