3થી 8 માર્ચ અંબાજીમાં ગબ્બર રોપવે સેવા બંધ રહેશે

લોગ વિચાર :

બનાસકાંઠા જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર રોપવે સેવાઓ 6 દિવસ સુધી બંધ રહેશે. આગામી સોમવારને 3 માર્ચથી 8 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રાખવામાં આવશે. રોપવે ની વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીના કારણે સેવા બંધ રાખવામાં આવશે. યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફક્ત છ દિવસ માટે રોપવે સેવા બંધ કરાઈ છે, પરંતુ યાત્રિકો પગથિયા દ્વારા ગબ્બર ખાતે માતાજીના દર્શન કરી શકશે. 9 માર્ચથી રોપવે સેવાઓ રાબેતા મુજબ શરૂ કરાશે