લોગ વિચાર.કોમ
બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત પીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મુંબઈમાં 12 દિવસની યાત્રા માટે આવ્યા છે. અહીં તેમણે ક્રિકેટ પર હાથ સાફ કર્યો હતો.
રવિવારે રાતે તેઓ કથા પૂરી કર્યા પછી પોતાની સુરક્ષામાં તહેનાત મહારાષ્ટ્ર પોલીસના જવાનો અને પોતાના સેવાદારો સાથે ક્રિકેટ રમ્યા હતા.
6-6 ઓવરની એ મેચમાં એક ટીમમાં મુંબઈ પોલીસ અને મુંબઈના સેવાદારો હતા. જયારે બીજી ટીમમાં બાબા બાગેશ્વર અને તેમના સેવાદારો હતા.
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ બે ઓવરમાં 9 રન આપીને 4 વિકેટ લીધી હતી એટલું જ નહીં, બેટિંગમાં પણ બાબા બરાબરના ચમક્યા હતા.