મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને મોટો ઝટકો

લોગ વિચાર :

મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને મોટો ઝટકો, અમેરિકન કોર્ટે કહ્યું હતું કે 2008 ના મુંબઈ આતંકી હુમલામાં વોન્ટેડ તહવ્વુર રાણાને ભારતને સોંપી શકાય છે.

કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રાણાની હેબિયસ કોર્પસ પિટિશનને બરતરફ કરવામાં આવી હતી યુએસ કોર્ટ ઑફ અપીલ્સના ન્યાયાધીશોની પેનલે રાણા દ્વારા દાખલ કરાયેલી અપીલ પર ચુકાદો આપ્યો હતો.

પાઈઝલે સ્વીકાર્યું કે રાણાના ગુનાઓ યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત વચ્ચેની પ્રત્યાર્પણ સંધિની શરતો હેઠળ આવે છે. રાણા એક પાકિસ્તાની મૂળના કેનેડિયન વેપારી છે જેના પર મુંબઈમાં આતંકવાદી હુમલા કરનારા આતંકવાદી સંગઠનને સમર્થન આપવાનો આરોપ છે.

જ્યુરીએ રાણાને વિદેશી આતંકવાદી સંગઠનને સમર્થન આપવા અને ડેનમાર્કમાં આતંકવાદી હુમલા બદલ દોષી ઠેરવ્યો હતો. રાણા પાસે આ નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ છે. તેણે ભારતમાં તેના પ્રત્યાર્પણને રોકવા માટેના તમામ કાયદાકીય વિકલ્પો હજુ પૂરા કર્યા નથી.

વર્ષ 2008 માં પાકિસ્તાનથી બોટમાં આવેલા 10 લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ લગભગ 60 કલાક સુધી મુંબઈને બંધક બનાવી રાખ્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ 160 થી વધુ લોકોની હત્યા કરી હતી.

જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર માર્યા હતા, જ્યારે એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો. જેને બાદમાં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 26 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.