6 કલાકમાં મુંબઈથી ગોવા પહોંચાશે

લોગ વિચાર.કોમ

મુંબઈથી ગોવા વચ્‍ચે રો રો ફેરરી શરૂ થવાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. કેન્‍દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા જળ આવાગમનને પ્રોત્‍સાહન આપ્‍યા બાદ હવે મહારાષ્‍ટ્રના પરિવહન મંત્રીએ મોટું નિવેદન આપ્‍યું છે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે કહ્યું છે કે આ સેવા ટૂંક સમયમાં જ શરૂ થશે.

મુંબઈ અને ગોવા વચ્‍ચે બે સ્‍ટીમરથી ૧૯૬૦ના દાયકામાં લોકોને લઈ જવાની સુવિધા શરૂ થઈ હતી. ભારતના મોટા ટૂરિસ્‍ટ ડેસ્‍ટિનેશન ગોવા માટે પણ નિયમિત રીતે રો-રો ફેરી સેવા શરૂ થઈ નથી. હવે મહારાષ્‍ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઇકે પોતે આ વિષયમાં રસ દર્શાવ્‍યો છે. જો બધું બરાબર રહ્યું તો મુંબઈ-ગોવા રાજમાર્ગ ખુલવાની રાહ જોતા લોકોને મોટી ભેટ મળી શકે છે. લોકો માત્ર ૬ કલાકમાં જ મુંબઈથી ગોવા પહોંચી જશે.

મુંબઈ અને ગોવા વચ્‍ચે ઝડપી કનેક્‍ટિવિટી પૂરી પાડવા અને મુસાફરીનો સમય ઘટાડવા માટે, મુંબઈ અને ગોવા વચ્‍ચે એક હાઇવે બનાવવામાં આવી રહ્યો છે પરંતુ તેને પૂર્ણ થવામાં થોડો સમય લાગશે. આ રૂટ પરની ટ્રેનો ઘણીવાર ભરેલી હોય છે. વધુમાં, હવાઈ ભાડું ખૂબ ઊંચું છે. નિષ્‍ણાતો માને છે કે આવી સ્‍થિતિમાં, જો મુંબઈ-ગોવા જળમાર્ગ પરિવહન માટે ખુલ્લો મૂકવામાં આવે તો તે ગેમ ચેન્‍જર સાબિત થઈ શકે છે. જો મુંબઈ અને ગોવા વચ્‍ચે રો-રો ફેરી સેવા શરૂ થાય તો બંને સ્‍થળોને -વાસનનો ફાયદો થઈ શકે છે. રો-રો ફેરી સેવાને લીલી ઝંડી આપતા પહેલા સરકાર સલામતીના ધોરણો અંગે પોતાને સંતોષવા માંગે છે.