ભારતીય વાયુસેનાનું પશ્ચિમ બંગાળમાં ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન વિમાન ક્રેશ

લોગ વિચાર :

પ.બંગાળના બાગડોરામાં ભારતીય વાયુસેનાનું એએન-32 વિમાન ઈમરજન્સી લેન્ડિંગ કરવા જતાં ક્રેશ થઇ ગયું હતું. અધિકારીઓના અહેવાલ અનુસાર તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.

વાયુસેનાને ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી ત્વરિત રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.  ઉલ્લેખનીય છે કે, આ પહેલા હરિયાણામાં પણ એરફોર્સનું એક જેગુઆર ફાઈટર જેટ ક્રેશ થઈ ગયું હતું.

એટલા માટે એક જ દિવસમાં સતત બે વિમાન દુર્ઘટના સર્જાતા એરફોર્સની ચિંતા વધી ગઇ હતી. હરિયાણાની દુર્ઘટના સમયે પણ પાઇલટે સમયસૂચકતા વાપરી પેરાશૂટ સાથે વિમાનમાંથી સુરક્ષિત ઈજેક્ટ કર્યું હતું. પાઇલટે આ સાથે સુનસાન વિસ્તારમાં ક્રેશ લેન્ડિંગ કરી હતી જેના લીધે મોટી જાનહાનિ ટળી ગઈ હતી.