લોગવિચાર :
કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ, કિંજરાપુએ ઉડાન યાત્રી કાફે લોંચ કર્યું છે.જયાં હવાઈ મુસાફરોને ખુબ જ સસ્તા દરે ચા, કોફી, અને અન્ય ખાદ્યપદાર્થો મળશે.
નાગરીક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની સંયુકત પહેલ પર ફલાઈટ પેસેન્જર્સ માટેનો આ કાફે કોલકતાથી શરૂ કરવામાં આવ્યો છે. કોલકતાનાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, હવાઈ મુસાફરીને વધુ સમાવિષ્ટ અને સુલભ બનાવવી એ હંમેશા ઉડ્ડયન ક્ષેત્રમાં અમારા પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. કોલકાતા એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન આ મિશન તરફનું બીજુ પગલું છે.
ઉડાન યાત્રી કાફે રેટ ચાર્ટ
આ પ્રકારનાં ફલાઈટ પેસેન્જર કાફે દેશનાં અન્ય એરપોર્ટ પર પણ ખોલવામાં આવશે.આ પહેલનો ઉદેશ્ય મુસાફરોને પોસાય તેવા ભાવે ગુણવતાયુકત ખોરાક ઉપલબ્ધ કરાવવાની છે. અહી મેનુ કિફાયતી છે. જે પ્રવાસીઓ માટે સુલભ છે.
ઉડાન યાત્રી કાફે એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ મુસાફર એકલતા કે બોજ અનુભવે નહિં. એવુ કહેવામાં આવી રહ્યું છે કે કેમ આ કાફે માત્ર એક ફૂડ આઉટલેટ નહિં પણ તેના કરતા પણ વધારે વિકલ્પ પુરા પાડે છે. જે સામાન્ય લોકો માટે મુસાફરીનાં અનુભવને લોકશાહી બનાવવાનાં મિશનનું પ્રતિનિધિત્વ કરે છે.
દેશભરમાં કાફે ખોલવામાં આવશે
રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે હું નાગરીક ઉડ્ડયન મંત્રી તરીકે, સામાન્ય માણસના સપના અને રોજીંદાગ સંઘર્ષમાંથી પ્રેરણા મેળવુ છું.હવાઈ મુસાફરીને કિફાયતી, ગરીમાપુર્ણ અને આરામનું પ્રતિક બનાવવાનું મિશન અને હૃદયસમું છે.આ એક એવો અનુભવ છે કે જે દરેક ભારતીય ગર્વ અને આનંદ સાથે માણી શકે છે.
પાણીની બોટલ રૂા.10
♦ ચા (100 મીલી) રૂા.10
♦ કોફી (100 મીલી) રૂા.20
♦ સમોસા (1 નંગ) રૂા.20
♦ સ્વીટસ ઓફ ધ ડે રૂા.20