લોગવિચાર :
હરિદ્વાર ગંગા નદીના પાણીની કવોલિટી પર નિરીક્ષણ રાખતા હરિદ્વારના પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડે આ પાણીની કવોલિટી બી ગ્રેડની બતાવી છે. એનો અર્થ એ થાય છે કે, હરિદ્વારમાં ગંગા નદીનું પાણી આચમન કરવા કે પીવા લાયક નથી પણ એમાં સ્નાન કરી શકાય છે.
પાંચ વર્ષથી દર મહિને આ પ્રમાણે ચેકિંગ કરવામાં આવે છે. પહેલાં તો ગંગા નદીનું પાણી સ્નાનને લાયક પણ નહોતું. જો કે હવેએ કવોલિટી સુધરી છે. આ મુદ્દે પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે, અહીં પાણી પીવામાં આવતાં સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થઈ શકે છે.
નવેમ્બર મહિનામાં આઠ સ્થળેથી સેમ્પલ લઈને એને ચકાસવામાં આવ્યાં હતાં.એમાં આ માહિતી બહાર આવી છે.